જ્યારે જ્યોતિબા ફૂલે અંગ્રેજો સાથે સંઘર્ષમાં ઉતર્યા💥💥💥 બે રસપ્રદ પ્રસંગો.......

દેશ માંથી અસ્પૃશ્યતા નિવારણ અને સમાજના દબાયેલા અને કચડાયેલા વર્ગને સશક્ત અને શિક્ષિત બનાવવામાં મહત્વનો ભાગ ભજવનાર મહાત્મા જ્યોતિબા ફૂલે ની આજે જન્મતિથિ છે.....



તેમનો જન્મ 11 મી એપ્રિલ 1827માં પુના માં થયો હતો...
અને અવસાન 28મી નવેમ્બર 1890માં થયું હતું.

આમ તો એમનું સાચું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલે હતું..... પરંતુ તેઓ જ્યોતિબા ફુલે ના નામથી પ્રખ્યાત થયા...


એમનો પરિવાર સતારા થી પુના આવી ગયો હતો અને માળી કામ કરતા હતા.


માળી કામના કારણે જ  તેમનો પરિવાર "ફૂલે"ના નામથી ઓળખાતો હતો.


તેમનું સમગ્ર જીવન એક ક્રાંતિ જેવું હતું..... તેમણે પોતાની આખી જિંદગી સમાજના ગરીબ અને કચડાયેલા લોકોના સશક્તિકરણ અને શિક્ષણ માટે સમર્પિત કરી દીધી હતી☝🏻👏🏻.


આ માટે એમણે સમાજમાં રહેલા ઘણા બધા રીતિ રિવાજો અને કુરિવાજો સામે આંદોલન ચલાવવું પડ્યું....

આટલું જ નહીં પરંતુ તેમણે તે સમયે મહિલા શિક્ષણ નું અશક્ય ગણાય એવું કાર્ય પણ કર્યું.

સમાજના દબાયેલા અને કચડાયેલા લોકોના કલ્યાણ માટે તેમણે અંગ્રેજ શાસન સામે પણ આગળ ચલાવવામાં કોઈ પ્રકારની પાછી પાની કરી નહોતી.



આ આંદોલનનો અંગેના રસપ્રદ પ્રસંગો.... આપણી સમક્ષ આ બ્લોગ માં આજે રજુ કરી રહ્યો છું.

1  👉🏻    પ્રેસની આઝાદી


1876 થી 1880 સુધી ભારત નો વાયસરોય હતો લોર્ડ લિટન. ભારતના રાષ્ટ્રવાદી આઝાદીના આંદોલન નો એ સખત વિરોધી હતો. અને પ્રેસની આઝાદી એને આંખના કણાની માફક ખુંચ તી હતી.
1878 માં એણે વરનાક્યુલર એકટ પસાર કરી પ્રેસ ની આઝાદી પૂરી કરવાની કોશિશ કરી.


આ કાયદા પ્રમાણે જે દેશી વર્તમાનપત્રો હતા એના ઉપર અમુક પ્રકારના નિયંત્રણ મૂકવામાં આવ્યા.... અને એના મુદ્રણ તથા પ્રકાશન પર પ્રતિબંધ લગાવી તેની સ્વતંત્રતા છીનવી લેવા માં આવી.

સત્યશોધક સમાજ નો ભાગ રહેલા દીનબંધુ સમાચાર પત્ર તરફથી આ પગલા નો જોરદાર વિરોધ કરવામાં આવ્યો.

આ પ્રતિબંધના બે વર્ષ પછી એટલે કે 1880 માં લિટન
પુના ની મુલાકાતે આવવાનો હતો. પુના નગરપાલિકા ના અધ્યક્ષ લિટન નું ભવ્ય સ્વાગત કરવા માંગતા હતા.
જેના માટે તે એક હજાર રૂપિયા (તે સમયમાં 1000 રૂપિયા બહુ મોટી રકમ હતી) નો ખર્ચ કરવા માંગતો હતો.
આના માટે નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવા માંગતો હતો. અને ઈચ્છતો હતો કે બધા જ સભ્યો ઠરાવ ના સમર્થનમાં પોતાનો મત આપે.☝🏻

જ્યોતિબા ફૂલે ને આ વાત ખોટી લાગી અને તે  તેવુ ઈચ્છતા હતા કે.... સામાન્ય પ્રજાના કરવેરાના પૈસા લિટન જેવા ક્રૂર માણસ પાછળ ના ખર્ચવામાં આવે.☝🏻✋🏻
પરંતુ આ પૈસા પૂનાના ગરીબ લોકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે.

જ્યારે મતદાન કરવામાં આવ્યું ત્યારે જ્યોતિબા ફૂલે એ એના વિરોધમાં મત આપ્યો.☝🏻❌


આખા પૂના શહેરમાં એ સમયે નગરપાલિકામાં 32 નોંધાયેલા સભ્યો હતા જેમાંથી માત્ર એક જ્યોતિબા ફુલે  એ જ વિરુદ્ધમાં મત આપ્યો હતો.

જેની અંગ્રેજોએ ખાસ નોંધ લીધી હતી.☝🏻



2  👉🏻  બ્રિટિશ શાહી       
          પરીવારને  પડકાર

         હજી એક એવી તક આવી કે જ્યારે ગરીબ ખેડૂતો માટે આંદોલન ચલાવવાનું હતું.
આ સમયે પણ જ્યોતિબા ફુલે આગળ પડતા હતા.☝🏻
તેમના એક મિત્ર હતા તેમનું નામ હતું હરી રાવજી     ચિપલુંનકર. તેમના મિત્રએ બ્રિટિશ રાજ કુમાર અને એમની પત્નીનું સન્માન કરવા માટે એક ખાસ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.

બ્રિટિશ રાજ કુમાર મહારાણી વિક્ટોરિયા નો પૌત્ર હતો.


ત્યાં જઈને જ્યોતિબા ફૂલે એ ભારતના ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ અને એમની દયનીય હાલત વિશે મહારાણી વિક્ટોરિયાના પૌત્ર સમક્ષ બોલવા માંડ્યા, આના માટે તેઓ ખેડૂતો જેવા જ કપડાં પહેરીને ગયા હતા અને વક્તવ્ય આપવા માંડ્યા.📢

તદુપરાંત તેમણે મહારાણી વિક્ટોરિયાના પૌત્ર ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.... કે તમારી સમક્ષ આ જે ધનાઢય  લોકો બેઠા છે.... એ અસલી ભારત નથી☝🏻❌

અને આ લોકો ભારતનું પ્રતિનિધિત્વ કરવાને લાયક નથી.☝🏻✋🏻

તદુપરાંત તેમણે એ વાત ઉપર ભાર મૂક્યો કે.....


જો તમ  મહારાણી વિક્ટોરિયાના પૌત્ર સાચું ભારત જોવા માંગે છે❓❓❓❓❓


અને ભારતની ખરેખર પરિસ્થિતિ કેવી છે❓❓❓ તે જોવા માંગતા હોય તો ભારતના ગામડાઓનો પ્રવાસ કરે.

તદુપરાંત એ પણ કહ્યું કે આજે પણ ભારતમાં અંગ્રેજોના શાસનમાં પણ ભારતના દબાયેલા અને કચડાયેલા લોકો સાથે કેવું ખરાબ વર્તન કરવામાં આવે છે...... તેમના હાથમાં કોઈ પાણી નથી પિતું....


તેમની સાથે કોઈ જમવા નથી બેસતું ...


તેમને કોઇ રસ્તે ચાલવા નથી દેતું.

તેમણે પોતાના ભાષણમાં 📢📢📢📢📢📢એક ખાસ આગ્રહ રાખ્યો કે...


મહારાણી વિક્ટોરિયાના પૌત્ર મહારાણી વિક્ટોરિયા ને પોતાના વક્તવ્યમાં રહેલો આ સંદેશો...... પહોંચાડે અને સમાજના દબાયેલા કચડાયેલા લોકો ની શિક્ષા માટે કશીક વ્યવસ્થા કરે.☝🏻

જ્યોતિબા ફુલે ના  આ વક્તવ્ય ને સાંભળીને સમારોહમાં હાજર રહેલી બધી જ વ્યક્તિઓ સ્તબ્ધ થઈ ગઈ હતી.

મહાત્મા જ્યોતિબા ફુલે  એ કરેલા મહાન કાર્યો....

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻


👉🏻  એ સમયમાં સ્ત્રીઓ માં    શિક્ષણનું પ્રમાણ નહીવત હતું.અને એમણે નક્કી કર્યું કે પુરુષની સાથે સ્ત્રીને પણ શિક્ષિત બનાવશે. આ માટે એમણે કોઈ સ્ત્રી શિક્ષિકા ની જરૂર હતી. પરંતુ એમને કોઈ સ્ત્રી શિક્ષિકા મળી નહીં.

આથી તેમને પોતાના પત્ની "સાવિત્રીબાઈ ફૂલે" ને
તાલીમ આપી અને શિક્ષિકા બનાવ્યા.


જે ભારતના પ્રથમ મહિલા શિક્ષક હતા☝🏻👏🏻

👉🏻  ઉચ્ચ વર્ગના લોકોએ ઘણીવાર જ્યોતિબા ફુલે ના કાર્યોમાં અડચણ ઉભી કરવાની ઘણી બધી કોશિશો કરી... એટલું જ નહીં પરંતુ જ્યોતિબા ફુલે ના પિતા ઉપર દબાણ લાવી બંને પતિ-પત્નીને ઘરની બહાર કઢાવ્યા.


પરંતુ જ્યોતિબા ફૂલે પોતાનું ધ્યેય પૂર્ણ કરવામાં મક્કમ હતા.☝🏻💪🏻
 આનાથી એમનું કામ થોડા સમય અટકી ગયું... . પરંતુ ત્યાર પછી તરત જ તેમણે ત્રણ કન્યાશાળાઓ અલગ અલગ વિસ્તારોમાં ચાલુ કરી દીધી.


જે ભારતની પ્રથમ કન્યા શાળાઓ હતી.




👉🏻 સમાજના કચડાયેલા અને નબળા લોકોને ન્યાય અપાવવા માટે જ્યોતિબા ફૂલે એ 1873 માં સત્યશોધક સમાજની સ્થાપના કરી.



👉🏻 તેમના આંદોલનનો અને એમની સમાજસેવાની કદરરૂપે ઈ.સ.1888 માં એમને મુંબઈની એક વિશાળ સભામાં "મહાત્મા" ની ઉપાધિ આપવામાં આવી.



👉🏻  જ્યોતિબા ફૂલે એ બ્રાહ્મણો અને પુરોહિતો વિના જ લગ્ન થઈ શકે એવા વિવાહ સંસ્કાર નીવ્યવસ્થાની શરૂઆત કરી☝🏻
આ માટે તેઓ ને  મુંબઈ હાઈકોર્ટમાં થી માન્યતા પણ મળી ગઈ.

તેઓ બાલ વિવાહ ના કટ્ટર વિરોધી હતા.

તદુપરાંત વિધવા પુનઃ લગ્ન ના સમર્થક હતા.
તેમના પ્રયત્નોથી જ ભારતમાં વિધવા પુનઃ લગ્ન નું અશક્ય કાર્ય શક્ય બન્યું હતું.☝🏻


👉🏻  પોતાના જીવનકાળ દરમિયાન એમણે ઘણા બધા પુસ્તકો પણ લખ્યાં📓📔📒📒
જેમાં....

      📓    તૃતીય રત્ન

     📓છત્રપતિ શિવાજી

      📔બ્રાહ્મણો કા ચાતુર્ય


      📒 કિસાનો કા કોડા



       📓અછૂતો કે કેફિયત

        નો સમાવેશ થાય છે.


👉🏻 મહાત્મા જ્યોતિબા ફૂલે અને એમના સાથીદારો ના પ્રયત્ન  ના પરિણામે સરકારે
"એગ્રીકલ્ચર એકટ"પ્રસાર કર્યો હતો.




👉🏻 મહાત્મા જ્યોતિબા ફુલે  એ જ સૌપ્રથમ "દલિત" શબ્દનો પ્રયોગ કર્યો હતો.


🏹 KARAN
       karabdodia8162@gmail.com
KARAN

budding law student...❗❗a poet by soul❤and writer by heart☝��

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું