મણિપુર ની મર્દાની

 એક ઈમાનદાર સરકારી અધિકારી ધારે તો શું ના કરી શકે❓પછી ભલે ને  સામે ગમે તે હોય....🤷🏻‍♂


બહાદૂર લેડી પોલીસ ઓફિસર....

 

    થોનમ ઓજન બ્રિંદા





મણિપુર પોલીસ માં આઇ.પી.એસ અધિકારી છે.એમની નિમણુક મણિપુર માં ફેલાયેલી ગેર કાયદેસર ડ્રગસ ની પ્રવૃત્તિ ને રોકવા માટે  નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં એમને પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. બ્રિંદા એ રેડ કરી ને એક કુખ્યાત ડ્રગ માફિયા ની ધરપકડ કરી,અને કરોડો રૂપિયા નું અફીણ અને ડ્રગ્સ પકડી પાડયા અને લાખો રૂપિયા ની રોકડ રકમ પણ જપ્ત કરી,અને એ ડ્રગ માફિયા ને જેલ ભેગો કર્યો.


જે ડ્રગ માફિયા ની ઘરપકડ કરવા માં આવી એ ભાજપ નો નેતા અને મણિપુર ના મુખ્યમંત્રી ની પત્ની નો એકદમ નજીક નો સગો છે.

બ્રિંદા ઉપર પ્રેશર કરવામાં આવ્યું અને એ ડ્રગ માફિયા ને છોડી દેવા નું કહેવા માં આવ્યું .....

પરંતુ બ્રિંદા કે જે એક ઈમાનદાર અને કડક અધિકારી છે એ કોઈ ના પણ દબાણ ન વશ થયા વિના એ ડ્રગ માફિયા ને જેલ માં મોકલી દીધો.


ત્યારબાદ જે રીતે બધા કેસો માં થાય છે એમ નીચલી કોર્ટ એ આવા ગંભીર ગુના માં જેલ માં રહેલ ડ્રગ માફિયા ને જામીન પણ આપી દીધા🤷🏻‍♂


નીચલી કોર્ટ ના ચુકાદા થી નારાજ થઈ ને બ્રિંદા એ જાહેર માં ટિપ્પણી કરી.


નીચલી કોર્ટ એ બ્રિંદા ને પાઠ ભણવવા માટે અદાલત ના તિરસ્કાર ની નોટિસ ફટકારી દીધી.


બ્રિંદા ની હિંમત જુઓ......💪🏻

બ્રિંદા એ વિચાર્યું કે આવા ગુનેગારો અને એમને સપોર્ટ કરતા રાજકારણીઓ સામે નમવા કરતા, અને આવા ખતરનાક ગુનેગારોના જામીન આપતી કોર્ટ સામે ન કરતા આવા ગુનેગારો અને આવા ગુનેગારોને ટેકો આપતી સરકારને અને આવા ગુનેગારોને જામીન આપતી અદાલત ની માફી માંગવા કરતાં..... શા માટે....❓❓❓


આવા ગુનેગારો, આવા ગુનેગારોને સપોર્ટ કરતાં

રાજકારણીઓ, અને આવા ગુનેગારોને  જ પાઠ શા માટે ન ભણાવવો જોઈએ.....❓❓❓🤷🏻‍♂


અને આવા બધા લોકોને શા માટે સીધા દોર ના  કરવા જોઈએ☝🏻🤷🏻‍♂


બ્રિંદા એ મણિપુરની હાઇકોર્ટમાં આ બધાની વિરુદ્ધમાં 16 પાના નું સોગંદનામું દાખલ કર્યું અને કેસ ઠોકી દીધો.👊🏻💪🏻


બ્રિંદા એ કરેલા સોગંદનામામાં મુખ્યમંત્રી, એમના પત્ની, વચેટિયાઓ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને જે લોકો એમાં સામેલ હતા એ બધા નો ઉલ્લેખ વ્યવસ્થિત રીતે કર્યો.


હવે મણિપુર ના મુખ્યમંત્રી સાહેબ ને આ સોગંદનામા અને આ કેસથી તકલીફ પડી ગઈ.🖕🏻💥

તેમણે ઉચ્ચ અધિકારીઓને કહ્યું કે તેઓ બ્રિંદા ને સમજાવે અને અદાલતમાં થી સોગંદનામું પાછું ખેંચી લે.

પરંતુ હાઇકોર્ટ એ ના પાડી દીધી.


બીજી બાજુ બ્રિંદા નો અન્ય ડિપાર્ટમેન્ટ માં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો.


ખૂબ ખૂબ અભિનંદન🤝🏻 બ્રિંદા ગુજરાત પછી મણિપુર પણ બોલી રહ્યું છે...

"આ વર્દી તમારા બાપે આપેલી નથી, મહેનત કરી ને મેળવી છે."



            🇮🇳 जय मां भारती 🇮🇳



✒️  KARAN

   karandodia8162@gmail.com

KARAN

budding law student...❗❗a poet by soul❤and writer by heart☝��

1 ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવું વધુ જૂનું